કોઈ પણ દેવ દેવી ઓ ની પૂજા હોય, આપણે ખરા અંતરના ભાવ થી એ દેવ અથવા દેવી હોય તો તેને પ્રાર્થના કરવી જોઈએ કે એ પરમ તત્વ આપણને સદ્ બુદ્ધિ આપે, તેથી ગણેશ ચતુર્થી ના ગણેશ નું વિસર્જન હોય કે દશમા નુ વિસર્જન કરવામાં આવે, પણ દારૂ પીને દશમા નુ વિસર્જન કરવામાં આવે તો એની દશા બુરી જ થાય, હું તો કહું છું કે, આ દશમા તથા ગણેશ ચતુર્થી ના મહોત્સવ નિમિતે લોકો ઘણીવાર અનુચિત કામ કરતા હોય છે, વિધર્મી ઓ સનાતન ધર્મ નો નાશ તો કરવા પ્રયત્ન પછીથી કરશે, પરંતુ આપણે જ આપણા ધર્મ ના નામે ધતિંગ કરવા માંડ્યા છીએ, મોટે ભાગે ગણેશ ચતુર્થી ના મહોત્સવ નિમિતે લોકો દારૂ પીને ગણેશ નું વિસર્જન કરતા હોય છે, દશમા ના ઉત્સવ માં પણ લગભગ આમ થાય છે,