Рет қаралды 292
Video from prdpraval42
જગ વિખ્યાત શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ ઉપર તથા ટ્રસ્ટીઓ શ્રી ભૂપેન્દ્ર વોરા અને શ્રી કમલેશ મહેતા ઉપર કરેલા ખોટા આક્ષેપો બાબતે ખુલાસો
અંકીત શ્રેણીકભાઇ મહેતા તથા જયેશ બાબુલાલ મહેતા આ ટ્રસ્ટનાં ટ્રસ્ટી હોવાનો દાવો કરે છે તેઓ મહુડી ટ્રસ્ટનાં ફક્ત સામાન્ય સભ્ય જ છે ટ્રસ્ટી નથી, તેઓ પોતાને શ્રી મહુડી ટ્રસ્ટનાં ટ્રસ્ટી તરીકે ખોટી ઓળખ આપી ટ્રસ્ટી તરીકેની સહીઓ કરી ઘણી જગ્યાએ પત્ર વ્યવહાર કરેલ છે, ચેરીટી કમીશનર કચેરીમાં પણ તેઓએ પોતે ટ્રસ્ટી છે તેવી ખોટી રજુઆત કરેલ છે, આ અંગે શ્રી મહુડી ટ્રસ્ટે માણસા પોલીસ સ્ટેશનમાં તેમજ ચેરીટી કમીશનરશ્રીની કચેરીમાં ફરીયાદ નોંધાવેલ છે.
અંકીત શ્રેણીકભાઇ મહેતા તથા જયેશ બાબુલાલ મહેતા મહુડી ટ્રસ્ટના ખોટા ટ્રસ્ટી બની ટ્રસ્ટને પચાવાની કોશીષ કરી રહ્યા છે અને લોકોને ગેરમાર્ગે દોરી પોતાના માટે ફંડ ફાળો ભેગો કરી ટ્રસ્ટને તેમજ ટ્રસ્ટ હિતને નુકશાન કરે તેવી દહેશત છે. આ બંને ખોટા વ્યકિતઓ સાથે શ્રી મહુડી ટ્રસ્ટને લગતો કોઇપણ જાતનો વ્યવહાર કરવો નહીં.
અંકીત મહેતાએ ગુજરાતમાં ડાંગ,સુરત,વડોદરા,તાપી,નવસારી જિલ્લામાં છેતરપીંડી કરી, સરકારશ્રી તથા બેંકો અને વ્યકિતઓ સાથે કરેલા કરોડોના કૌભાંડોના કેસ તેમના ઉપર થયેલા છે, આ બાબતે તેમની ધરપકડ પણ થઇ છે,આ વ્યકિતએ પોતાનું નામ બદલી સરકારી જેલમાં કરોડોની છેતરપીંડી કરેલી છે અને તેમને જેલની સજા પણ થયેલી છે. તે સૌની જાણ સારું આ નોટીસ આપવામાં આવે છે,આવા ખરાબ તત્વોથી શ્રી મહુડી મંદીર જેવા પવિત્ર ટ્રસ્ટ વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ બોલાવી ખોટા આક્ષેપ કરી રહ્યા છે, કારણ કે આવા અનિષ્ટ તત્વોને અમારા મંદીરમાં ટ્રસ્ટી તરીકે રહેવું છે અને અમે તેમને ટ્રસ્ટી થવા દેતા નથી તે કારણે અંકીત મહેતા તથા તેમના મળતીયાઓ ટ્રસ્ટને બદનામ કરવાની કોશિષ કરી રહ્યા છે.
અંકીત મહેતાની નજર શ્રી મહુડી ટ્રસ્ટના પૈસા ઉપર તથા ભગવાનના દાગીનાઓ ઉપર છે અને તેની ચોરી કરે તેવી સંભવાના છે. આ પરિસ્થિતિમાં સાત વર્ષ પહેલાની વાતોને ખોટી રીતે ચગાવી,રજુઆત કરી ટ્રસ્ટને કબજે કરવાની કોશીષ કરી રહ્યા છે, અંકીત મહેતાએ શ્રી મહુડી ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓ શ્રી ભુપેન્દ્રભાઇ વોરા અને શ્રી કમલેશભાઇ મહેતા સામે કરેલા તમામે તમામ આક્ષેપો તદ્દન પાયાવિહોણા અને ખોટા સાબિત થયેલ છે,જે આક્ષેપો અંગે અગાઉ પણ ચર્ચા થઇ ચૂકેલ છે, સૌને જાણ કરવામાં આવે છે કે કરોડોની છેતરપીંડીમાં સંડોવાયેલા અંકીતભાઇ મહેતાથી સતર્ક રહેવું અને ગેરમાર્ગે દોરાવું નહીં, ઇન્ટરનેટ ઉપર અંકીત મહેતા નવસારી લખશો તો તેમના તમામ કૌભાંડો દેખાઇ આવશે, આ વ્યકિતઓનું શ્રી મહુડી ટ્રસ્ટમાંથી તેમનું સભ્યપદ કાયમી રદ કરવું તેવો વિચાર માંગી લે છે.
ખાસ નોંધ :- ગયા વર્ષે ચોરીમાં પકડાયેલા મહેતા પરિવારના આરોપીઓના નજીકના ભાઈ ભાંડુઓએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી.
લી. શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વે.મૂ.પૂ.ટ્રસ્ટ/સંઘ