Рет қаралды 737
અનિરૂધ્ધ, અક્ષય અને અંજલિ... પ્રણય ત્રિકોણના ત્રણ એવા ખૂણા જે સતત પોતાનું સ્થાન બદલતા રહે છે. એકમેકની જગ્યા પૂરી દેવા-એકમેકના ખાલીપાને ભરવા સૌ વારેવારે ભૂતકાળમાં પ્રવાસ કરે છે. આ એવો ભૂતકાળ છે જેને જોઈ તો શકાય છે, પણ સ્પર્શી નથી શકાતો. એને સાચવી તો શકાય છે, પણ સુધારી નથી શકાતો. અંજલિએ જેની જીવનભર પ્રતીક્ષા કરી એ ક્ષણ જ્યારે એની સામે આવી ત્યારે એ ક્ષણના અર્થ પલટાઈ ચૂક્યા હતા. અનિરૂધ્ધે જે ઝંખનાને પામવા જીવનભર પ્રવાસ કર્યો એ જ્યારે એની સામે ઊભી હતી ત્યારે એ અનિરૂધ્ધથી થોડી વધુ દૂર થઈ ગઈ હતી. અક્ષય, જે બધું પામીને કશું ન પામ્યો, પણ જે ક્ષણે એણે પોતાની મુઠ્ઠી ખોલી નાખી એ ક્ષણે એની હથેળી છલોછલ ભરાઈ ગઈ. જીવનની અધૂરપ અને પ્રેમની પૂર્ણતાના ત્રણ જુદા અર્થને વાચક સામે ઉઘાડી આપતી એક અનોખી પ્રેમકથા. હાર-જીત, કે પામવા-ગુમાવવાની વ્યાખ્યાઓને ધર્મોથી બદલી નાખે એવા અધૂરા છતાં છલોછલ ભરેલા, એકદમ સાચા છતાં મૃગજળ જેવા સંબંધોની લાગણી ભીની કથા.
.
Now available on Zen Opus - Living with Literature website:
www.zenopus.in...
.
and also on Amazon Books IN : shorturl.at/5oYdZ
.
.
.
.
.
.
.
.
.
#books #novel #novels #gujaratiliterature #gujaratisahitya #lovestory #zenopus #gujaratibooks #gujrati #gujarati #bookpromo #bookpromotion #newbook