Рет қаралды 291
નિધિવન જંગલનું રહસ્ય - દરરોજ રાત્રે કૃષ્ણ નિધિવન માં આવે છે રાધા અને ગોપીઓ સાથે રાસ રચાવે છે:-
કૃષ્ણની સાથે રાધા પણ અહીં નિધિવન માં આવે છે નિધિવનમાં દેખાતા વૃક્ષો રાત્રે ગોપીઓમાં બદલાઈ જાય છે અને રોજ રાત્રે કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રચાવે છે. રાત્રે અહીં માત્ર વાંસળી અને ઘુંઘરુનો અવાજ સંભળાય છે
નિધિવન માં આવેલ રંગ મહેલ:-
નિધિવનની અંદર જ ‘રંગ મહેલ’ છે. જેના વિશે કહેવાય છે કે, રોજ રાત્રે ત્યાં રાધા અને કૃષ્ણ આવે છે. ‘રંગ મહેલ’માં રાધા અને કૃષ્ણ માટે રાખેલા ચંદનના પલંગને સાંજે સાત વાગ્યા પહેલા સજાવી દેવામાં આવે છે. પલંગની બાજુમાં એક લોટો પાણી, રાધાનો શ્રૃંગારનો સામાન અને દાતણ સાથે જ પાન મુકવામાં આવે છે. સવારે પાંચ વાગે જ્યારે રંગ મહેલના પાટ ખુલે છે ત્યારે પથારી અસ્ત-વ્યસ્ત, લોટાનું પાણી ખાલી, દાતણ ચાવેલુ અને પાન ખાધેલો મળે છે. ‘રંગ મહેલ’માં ભક્ત માત્ર શ્રૃંગારનો સામાન ચઢાવે છે અને પ્રસાદ સ્વરૂપે તેમને પણ શ્રૃંગારનો સામાન મળે છે.
નિધિવન ના અજબ ગજબ ના વૃક્ષો:-
નિધિવનના ઝાડ પણ અજીબ છે. સામાન્ય રીતે દરેક ઝાડની શાખાઓ ઉપરની તરફ વધે છે, જ્યારે અહીં ઝાડની શાખાઓ નીચેની તરફ વધે છે. નિધિવનની એક અન્ય ખાસિયત છે કે, તુલસીનો છોડ. નિધિવનમાં તુલસીના દરેક છોડ જોડામાં છે. તેની પાછળની માન્યતા છે કે, જ્યારે રાધા સંગ કૃષ્ણ વનમાં રાસ રમે છે ત્યારે આ ઝાડ ગોપીઓ બની જાય છે. જેમ સવાર પડે છે તેમ તે તુલસીના છોડમાં ફેરવાઈ જાય છે. સાથે જ આ વનમાંથી કોઈ તુલસીની એક ડાંડી પણ લઈ શકતુ નથી. લોકો જણાવે છે કે, જે લોકો તેને લઈ ગયા છે તે કોઈને કોઈ આપદાનો શિકાર બન્યા છે.અને તેમને અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો છે. પરિણામે અહીં તેને અડકવાની મનાઈ છે.
આ વિડિયો માં અપાયેલ જાણકારી - ધાર્મિક ગ્રંથો, પૌરાણિક કથાઓ, સમાચાર પત્રો અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી ના આધાર પર લેવાયેલ છે.
ડેઈલી અપડેટ્સ માટે અમારા [Facebook Page Like] ફેસબુક પેઝ ને લાઈક👍 [Instagram And Twitter Page Follow] ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટટેર ના પેઝ ને ફોલૉ👌કરો...
અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટટેર ના પેઝ પર જવા માટે નીચે ની લિંક પર ક્લિક કરો.
Like us on FACEBOOK
/ newstvgujarat
Follow us on INSTAGRAM
/ newstvgujarat
Follow us on TWITTER
www.x.com/News...
#નિધિવન
#મથુર_નિધિવન
#નિધિવન_મથુરા
#નિધિવન_ઇતિહાસ
#રહસ્યમય_નિધિવન
#નિધિવન_નો_ઇતિહાસ
#વૃંદાવન_નિધિવન_નાં_રહસ્યો