Рет қаралды 44,539
જિંદગીના પાછલા વર્ષોમાં માત્ર પ્રેમ અને હૂંફનો સહારો વ્યક્તિ ઈચ્છતી હોય છે..જો કે સંતાનોની નિર્દયતા અને પરિસ્થિતિની લાચારતાના કારણે ક્યારેક વૃદ્ધો ઘરવિહોણા બની રહેતા હોય છે. જો કે આવા વૃદ્ધો માટેનું પોતાનું કહી શકાય તેવું ઘર છે રાજકોટના ઢોલરા ગામનું વૃદ્ધાશ્રમ એટલે કે, 'દિકરાનું ઘર.'
અહીં તરછોડાયેલા અને ગરીબીના કારણે લાચાર એવા વૃદ્ધ દંપતિઓને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે. અહીં વૃદ્ધોને રૂમમાં કબાટ, અલગથી પંખા જેવી સગવડો આપવામાં આવી છે. આ વૃદ્ધાશ્રમમાં એક હોમ થિએટર બનાવવામાં આવ્યું છે, જ્યાં અઠવાડિયામાં બે વાર વૃદ્ધોને ફિલ્મો બતાવવામાં આવે છે.
અહીં વૃદ્ધ પુરુષો અને મહિલાઓ મનોરંજન ભોગવી શકે તેના માટે રમતગમતના સાધનો પણ પૂરાં પાડવામાં આવી રહ્યા છે. આ વૃદ્ધાશ્રમમાં સંતાનો ના હોય તેવા અને ગરીબીથી લાચાર હોય તેવા વૃદ્ધ દંપતિઓને અહીં રાખવામાં આવે છે. અહીં રહેતા તમામ વૃદ્ધો અહીં ઘર જેવી સુખ સુવિધાઓ ભોગવે છે. અહીં બે ટાઈમ જમવાનું, એક ટાઈમ નાસ્તો અને ત્રણ ટાઈમ ચા પણ આપવામાં આવે છે.