Рет қаралды 184,256
Suleman Gamit Aziel Studio Present
New Gamit Song
समय खुब निंगी चाल्यो समय नाय मिळी
पस्तावो कोय ला देवा राज्य पाही हेय
Song - Samay khub ningi chalyo
Voice - Rimpal Gamit ( Selud)
Music - Stivan Gamit (Bhadbhunja)
lyirics & Composer - Suleman Gamit (Selud)
Music Recording & mixing - Mogya Gamit (Bhadbhunja)
proofreading - Ramesh D. Gamit (selud)
Video recording & Editing - Yakub Gamit (Anandpur)
Song credit - MY LORD MY GOD JESUS
Speciel Thanks - Pecticostal Church Bhadbhunja
Contact - 8320872524 (Suleman gamit)
Song
સમય ખુબ નિંગી ચાલ્યો સમય નાય મિળી
પસ્તાવો કોય લા દેવા રાજ્ય પાહી હેય (2)
૧. જન્માલે યેહે માઅહું જીવન જીવે હે
જીવન જીવતા જીવતા મરણા લે ભેટે હે
છુટી જાય શરીર દોરતીવ કાદવા મેં મીળી જાય
પસ્તાવો કોય લા દેવા રાજ્ય પાહી હેય (2)
૨. એક આશ હે યે આપહે, મરણા પાસે બી હેય જીવન
જેહ કે ઈસુ મરણા માને, જીવતો જાયો
અનંતજીવન મેળવાં હાટી વિશ્વાહ કોઈ લેતે
પસ્તાવો કોય લા દેવા રાજ્ય પાહી હેય (2)
૩. પસ્તાવો કોઅહે માઅહું, પવિત્ર આત્મા યેહે,
હારો ખોટો હોમજાડે હે, પ્રભુ મે જીવતા હિકાડે હે
સમય હેયે પસ્તાવો કોઅના સમય હાચવી લેતે
પસ્તાવો કોય લા દેવા રાજ્ય પાહી હેય (2)
ગીત રચના મુખ પાઠ
માથ્થી 3 - 2
“ પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.”
આ ગીત ની રચના દેવને મહીમા મળે માટે કરવામાં આવ્યું છે, અને ગીતની રચના પવિત્ર આત્માની પ્રેરણાથી કરવામાં આવ્યું છે.
આ ગીત દ્વારા લોકો દેવનું વચન ગીત દ્વારા સમજે, સાંભળે અને દેવની વાતો નું અનુકરણ કરી, પોતાના પાપોથી ફરી ને દેવ બાપ ને
મહીમા આપે, એ હેતુ થી આ ગીતની રચના કરવામાં આવી છે. મને આશા છે કે આ ગીત દ્વારા તમે દેવને મહીમા આપશો.
આમેન...
પવિત્ર આત્માની પ્રેરણા થકી મળેલ સંદેશો....
માથ્થી 3 અધ્યાય
યોહાન નો ઉપદેશ (પ્રથમ)
માથ્થી 3-2 “ પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.”
બે સમય, પહેલો જ્યારે ઈસુ ખ્રિસ્ત યોહાનની પાસે પાણીથી બાપ્તિસ્મા લેવાને માટે આવવાનો હતો તે સમય,
અને બીજો હવે જ્યારે ખ્રિસ્ત ઈસુ ફરી આ જગતમાં તેમના પસંદ કરેલા લોકોને લેવ્વા આવનાર છે તે સમય.
• તે સમયે ઘણાં પાપી લોકો હશે, જેમણે સાચો પસ્તાવો કર્યો ના હશે, જેઓ પાપમાં ડૂબેલા હશે. એટલા માટે
યોહાને પોકાર કરી કહ્યું કે, પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.
તે સમયે કદાચ લોકો પોતાની આશા ગુમાવી ચુક્યા હશે, પાપથી ઘેરાયેલા હશે,
તે સમયે દેવનું વચન યોહાન દ્વારા લોકો સુધી પોંહચ્યું કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.
• માથ્થી 3-5,6 “ ત્યારે યરૂશાલેમનાં તથા યહૂદિયાનાં તથા યર્દનનાં આખા પ્રદેશનાં લોક તેની પાસે ગયા. અને પોતાનાં પાપ કબૂલ કરીને તેઓ યર્દન નદીમાં તેનાંથી બાપતિસ્મા પામ્યા.
• આજે આ સમયમાં આ દેવનું વચન જે યોહન દ્વારા તે સમયે ત્યાંનાં પાપી, હઠીલા લોકો માટે હતું. એ જ વચન આજે આપણાં સર્વને માટે પણ છે. તે સમયે જેમ લોકોએ યોહન ઉપદેશક દ્વારા નિકળેલું દેવનું વચન સાંભળ્યું અને વચન પર વિશ્વાસ કરી પસ્તાવો કર્યો, પાપની કબુલાત કરી અને પાણી થી બપ્તિસ્મા લિધું.
• તેમ, આજે આપણે પણ પાપથી ફરીને, દેવનાં સેવકો દ્વારા બોલવામાં આવતું દેવનું વચન સાંભળીને વિશ્વાસ કરીને પસ્તાવો કરી લેવો તે કેટલી સારી બાબત છે.
પરંતું જેમ તે સમયે યોહનનું વચન સાંભળીને લોકો પાપથી ફરીને પસ્તાવો કરીને બપ્તિસ્મા લિધું તેમ.
આપણને પણ આજે પસ્તાવાની જરૂર છે કેમ કે, દેવનું વચન કહે છે તેમ, “ પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.
• હવે યોહાન એક બીજી વાત લોકોને કહે છે તેમ,
માથ્થી 3-11 “ પસ્તાવાને સારું હું પાણીએ તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે
મારા કરતાં સમર્થ છે, ને તેનાં ચંપલ હું ઊંચકવાને યોગ્ય નથી,તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે.” જ્યારે કોઈ વ્યક્તિ પસ્તાવો કરે છે, ત્યારે તેનાં પર પવિત્ર આત્મા અચ્છાદન કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ પસ્તાવો કરીને પોતાનું જીવન દેવની આગળ સમર્પણ કરે છે. ત્યારે તે એટલે ઈસુ પવિત્ર અત્માને મોકલી આપે છે. જેમ પ્રેરિતોનાં કૃત્યો 2-2 થી 4 માં લખે છે તેમ, “ ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીનાં ઘુંઘવાટ જેવો અવાજ આવ્યો, અને તેઓ જ્યાં બેઠા હતાં તે આખું ઘર ગાજી રહ્યું,” “ અગ્નિનાં જેવી છુટે છુટી પડતી જીભો તેઓનાં જોવામાં આવી, અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી,” “ તેઓ સર્વ પવિત્ર અત્માથી ભરપુર થયાં, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યાં”
• બીજું વચન પ્રેરિતોઆં કૃત્યો 1-21 માં લખે છે તેમ,
“ માટે યોહાનનાં બાપ્તિસ્માથી માંડીને પ્રભુ ઈસુને આપણી પાસેથી ઉપર લઈ લેવામાં આવ્યો તે દિવસ સુધી
તેણે આપણામાં આવ જા કરી.” હવે દેવનું વચન જે યોહાન દ્વારા તે સમયનાં લોકોને કહેવામાં આવ્યું હતું તે જે, માથ્થી 3-10માં લખ્યું છે તેમ,
“ અને હમણાં જ ઝાડોની જડ પર કુહાડો મુકાયો છે, માટે દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે,
ને અગ્નિમાં નંખાય છે.”
માથ્થી 3-12
“ તેનું સુપડું તેનાં હાથમાં છે, ને તે પોતાની ખળીને પુરેપુરી સાફ કરશે, ને પોતાનાં ઘઉં ભંડારમાં ભરશે,
પણ ભુંસુ ન હોલવાનાર અગ્નિમાં તે બાળી નાખશે.”
આ વચનો થકી કહેવાનો મતલબ એ છે, કે સમય છે આપણે પસ્તાવો કરી લઈએ અને ઈસુનાં વચનો,
પર વિશ્વાસ કરી લઈએ, અને પવિત્ર આત્મા મેળવી લઈએ, કે જેથી અંત સમયમાં આકાશનું રાજ્ય જે બીજા આગમનની સાથે દેખાશે તે સમય આવે એ પહેલાં, પસ્તાવો કરી લઈએ અને સારાં ફળો આપીએ, નહીં તો અગ્નિની ખાય જે પ્રભુનાં લોકોને માટે નહિં પણ અધર્મી લોકોને માટે છે, તેમાં નાંખી દેવામાં આવશે, જેમાં રડવુંને દાંત પીસવું છે.
ધન્યવાદ... Subscribe & share & like Thank you.....